"बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो -५) Gujarati Article By Naresh K. Dodia
![]() |
"बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो -५) Gujarati Article By Naresh K. Dodia |
स्त्रीओ कदाच घणी वातोमां सरखी होय छे, अभण होय के भणेली. रडवामां, अंधश्रधामां अथवा धर्ममां आस्था राखवामां, भविष्य जाणवानी ईच्छामां. पोरस ने विचार आवी गयो के स्त्री ओ ने खटाश पण गमती होय छे – पाणीपुरीनी होय के अंबाली के काची केरी नी होय, पण खटाश स्त्रीना स्वभाव ने रास आवती हती, घणुं करीने बधा ज प्रकार नी स्त्रीओने. साधु संतो -डाकणो-ज्योतिषीओ मां पण स्त्री ओ विश्वास मूकती होय छे सामान्य रीते…..(लग्ननी आगली राते)
"બહુત યાદ આતે હો,બક્ષી બાબુ"...(હપ્તો -૫)
બેબાક બક્ષી બાબુ
બક્ષીબાબુંના લેખનમાં એક પ્રકારનો કરંટ હતો.અમુક વાક્યો કે એનું કઈ પણ લખાણ વાંચીએ ત્યારે આંખોમાં એક પ્રકારની ચમક આવી જતી...બક્ષીબાબુ કોઇની પણ શેહશરમ રાખ્યા વિનાં કલમની નોકથી બખિયા ઉખેડી નાખતાં હતાં.
એની સમકાલિન કોઇ પણ લેખક હોઇ કે કવિ હોય એના વિશે એને બિન્દાસ્ત લખ્યું છે...
"લીલી નશોમાં પાનખર"ની પ્રસ્તાવનામાં બક્ષી બાબુ લખે છે," ગુજરાતી નવલકથા અ-બ્રાહ્મણ રહી છે, જ્યારે કવિતા પર બ્રાહ્મણોનો કબજો રહ્યો છે. અને માટે જ એક અત્યંત વલ્ગર વિધાન ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે: વાર્તા કવિતાની ઊંચાઈએ પહોંચી છે! કુમારના ચંદ્રકોથી સાહિત્ય અકાદમીની સોગાદો સુધી જુઓ - ડઝનો ઈનામો અકરામો અપાય છે. એમાં કવિઓ કેટલા બધા છે? કવિતાઓમાંથી વટલાઈને નવલકથાકાર બનેલા કેટલા છે? અને માત્ર નવલકથાનું ત્રિશૂળ ઉપાડીને બલિ થઈ ગયેલા નવલકથાકારો કેટલા છે? પંદરમી સદીના યુરોપીય જીવનમાં કેથલિક ધર્મગુરુઓ જે રીતે મનમાની કરતા હતા એમ જ ગુજરાતી સાહિત્યમાં નબળા કવિઓ ઘણાખરા લાભ ઉઠાવી ગયા છે. નવલકથાની એક સશક્ત કલાસ્વરૂપ તરીકે ગુજરાતનાં પ્રતિષ્ઠાનોએ ક્યારેય ઈજ્જત કરી નથી. નવલકથાને એક શૂદ્ર પ્રવૃત્તિ તરીકે જોવામાં આવી છે પણ નવલકથા એના ધર્મ પ્રમાણે આખા સાહિત્યનું સમુદ્રતલ ફાડીને, 35000 ફીટના મહાસાગરની જલરાશિ ચીરીને, જ્વાલામુખીની જેમ પાણીની સતહ ઉપર આવીને ફાટે છે અને આગ ફેંકી શકે છે...સૂર્યની દિશામાં!.."આ અંદાજ આજે ક્યાં કોલમકાર કે વાર્તાકારમાં જોવા મળે છે..?
બક્ષી બાબુ લખે છે,"હિંદુસ્તાન અને પાકીસ્તાન વચ્ચે જ્યારે યુધ્ધ થાય છે ત્યારે તેમની ફૌજી છાવણીમાં ખરેખર શું ધટે જે તે જાણવાં વાંચો વાર્તા "ધર્મયુધ્ધ"માંથી...પાકિસ્તાનીઓને હિંદુ ભારત સામે જિહાદ પોકારી લીધી હતી.ફૌજીઓ સાથે મૌલવીઓ રાખવામાં આવ્યા હતા.જે ફૌજીઓને સતત કહ્યા કરતાં હતાં-મુજાહિદો,તમે કાફિરોની કતલ માટે જઇ રહ્યાં છો.હિંદુ વહશી છે.હેવાન છે.હિંદુઓને સંસ્કૃતિ નથી.હિંદુઓ અને યહુદીઓ ઇસ્લામનાં સૌથી મોટા દુશ્મન છે.દરેક પેઢીએ ઇસ્લામની તરવાર હિંદુનું ખુન પીએ છે...હિંદુઓને કૌવાની જેમ આપણે ઉડાડ્યા છે.ભારતનાં હિંદુ બનીયા બડા ચાલબાજ છે.જુઠાં છે.હિસાબી છે.ઇસ્લામનો ફૌજી જિહાદમાં મરતો નથી.એ સીધો જન્નતનશી થાય છે.જિહાદમાં કામ આવનારો કોઇ મરતો નથી.એ અમર થઇ જાય છે.ખુદા નિયતની સાથે રહે છે.ગઝની અને ધોરીનું ખુન તમારી રગોમાં ફરે છે..ઓ મુજાહિદો..તમારા પૂર્વજોએ તમારા અઝદાદે કલમાં પઢયાં છે."
છેવટે હિંદુસ્તાની મેજર પાઠકે મેજર હમીદને જીવતાં જલાવી દેવાની ધમકી આપી આપી એ એક ક્ષણમાં મેજર હમીદની આંખો ઝલઝલાઇ ગઇ અને મેજર હમીદે રડતાં સ્વરે કહી દીધુ,"ડૉન્ટ બર્ન મી...પ્લીઝ ડૉન્ટ બર્ન મી..હું બધુ જ..બધી જ માહિતી આપી રહ્યો છુ."..મેજર પાઠકની સળવળતી આંખો એ પાકી બાસ્ટર્ડનાં ચહેરાને ઝુલસતી જોઇ રહી.."
બક્ષીની કલમમાં આગ હતી...જે કોઇ પારિતોષીકનાં શીતળ છાયડાની મોહતાજ નહોતી...લખવું એટલે બેબાક અને બિન્દાસ્ત લખવુ...
બક્ષીબાબુ એટલે એક શિક્ષણકાર,ઇતિહાસકાર.અને બક્ષીનું આ જ્ઞાન માત્ર એનાં વિદ્યાર્થી પૂરતું સિમિત રહે એ કેમ ચાલે?પોતાના પ્રિય વિષય ઇતિહાસ અને રાજનિતિ શીખવવાં એ નવલકથાનો આશરો લે છે.મુન્શી અને ધુમકેતુંએ હિંદુસ્તાનનાં અમુક કાલખંડૉનાં ઇતિહાસને ઉદભવતી નવલકથાંઓ રચી ગયા.મેધાણી દાદાએ સૌરાષ્ટ્રની વિરતાને પૂરતો ન્યાય આપ્યો.જ્યારે બક્ષીએ હિંદુસ્તાનથી લઇને દુનિયાભરના ઇતિહાસ અને રાજનિતિને સાંકળીને સાહિત્યનાં કોઇ એક આયામ પુરતાં નહી બલ્કે કોલમથી લઇને નવલકથાઓમાં સાંકળી લીધા.
"પિતૃભૂમિ ગુજરાતમાં" બક્ષીબાબુ લખે છે,"કવિઓમાં સમાન કંઇ જ હોતું નથી-એમની આંખોમાં લાલાશ સિવાઇ..એમનું ભાતૃત્વ વેદનાની આગનું ભાતૃત્વ છે."
આગળ મેધાણીદાદા વિશે લખે છે,"ઝવેરચંદ કાલિદાસ મેધાણીનાં જીવનમાં પણ બે સ્ત્રીઓ હતી.બીજી નેપાલી મહિલા હતી.પણ સ્ત્રીઓએ મેધાણીનાં જીવનમાં ખાસ ભાગ ભજવ્યો નથી.મેધાણી કલકત્તામાં હતા.ઇંગ્લેન્ડ ગયાં પણ એમનું કાઠિયાવાડી દિલ સ્વભૂમિમાં જ શાંતિ પામ્યુ.૧૯૨૯ થી ૧૯૩૫માં એમની કવિતાઓ ઝળહળી ઉઠી સફેસ જયોતીની જેમ પછી લાવાની જેમ,જ્યારે રેડીયો,ટીવી,અને વર્તમાન પત્રો કંઇ જ ના હતા ત્યારે ગુજરાતનાં અંચલો અને ગામોમાં જનતાની જબાન પર મેધાણીનાં ગીતો ધબકતાં હતાં.બુલંદી નિયતીની પાકી,દિલની ખુદી,ખુદ્દારી,મર્દાનગી.....છેલ્લા ત્રીસ વર્ષોમાં ગુજરાતની ધરતી બીજો મેઘાણી પેદા કરી શકી નથી...
બક્ષીબાબુએ કવિઓને પણ બક્ષ્યા નથી..જુઓ નમુનો,"ગુજરાતી કવિતાની એક વિચિત્ર જમાત છે.જેમાં કવિ બીજા મિત્રકવિની કવિતાં દર રવિવારે સમજાવે.છાપાની કટારમાં રેસનાં બુકી કે મટકાનાં દલાલની જેમ..આજનો કવિ ગુણીયલ નારીની જેમ કોઇ મહાકવિઓનાં પડછાયામાં મોટૉ કે નાનો થયો છે.મહાકવિઓનો પડછાયો ગુજરાતી કવિતાં પર ધણા વરસો સુધી રહ્યો હતો.
બક્ષીબાબું આવું ત્રીસ વરસ પહેલા લખી ગયા છે...જે આજનાં સમયમાં પણ કેટલું યથાયોગ્ય છે..નવરાત્રીમાં બાયુની ચણિયાચોણીની સાથે જાત જાતનાં લટકતાં,ઝૂલતાં ફૂમતાં જેવાં શણગાર જોઇએ એમ અમુક બચોલીયા કવિઓ મહાકવિનાં શણગાર સાથે ઝૂલતાં જોવા મળે છે.
બક્ષીબાબું એનાં પુસ્તક રમુજકાંડમાં લખે છે,"ગુજરાતી સાહિત્યમાં અહિંસક અમદાવાદી માફિયા રાજ ચલાવે છે, જે નક્કી કરે છે કોને ઈનામ આપવું, કોનાં 60 વરસ ઊજવવાં, કોની ચોપડી સ્કૂલ કૉલેજના પાઠ્યપુસ્તક તરીકે નક્કી કરવી વગેરે વગેરે. આ માફિયોસીમાં ગૉડફાધર નથી, સિન્ડિકેટ છે, ક્લાન છે, મોબ છે, બ્રધરહુડ છે, ગેંગ છે પણ અંદર અંદર કોઈ શૂટ-આઉટ કરતું નથી, કોઈને કોઈથી ખરાબ સંબંધ નથી, દરેક લેખક બીજા લેખકનો વેવાઈ હોય, એટલી મીઠાશ સાહિત્યકારોમાં પ્રવર્તે છે. રેડિયોના સમૂહગાનમાં પાછલી લાઈનવાળા ગવૈયા લાઈનમાં ઊભા હોય એમ અથવા શુક્રવારે બડી નમાઝ પછી બહાર ટીનનાં વળેલાં ડબલાં લઈને યતીમો લાઈનમાં બેઠા હોય એમ ગુજરાતી લેખકો ઈનામો, સર્ટિફિકેટો, પત્રમાન, ચાંદ અકરામ માટે ધૈર્યથી જીવનભર લાઈનમાં ઊભા રહી શકે એટલા શાણા છે.
બક્ષી બાબુ બેબાક લખે છે," પશ્ચિમની ધારા શરીરકેન્દ્રી છે, આપણે આત્માને પકડવામાં એક આખી જિંદગી આપણા જ શરીરનું લોહી પી જઈએ છીએ! સેક્સી બનવા માટે પશ્ચિમની સ્ત્રી એના પૂરા શરીર સાથે શું કરી શકે છે? આંખોની આસપાસની સૂજન અને કૂંડાળા કાઢવા માટે એ બ્લેફેરોપ્લાસ્ટી કરાવે છે. અથવા લેસર દ્વારા કરચલીઓ ઓછી કરાવે છે. નાકને સરસ આકાર આપવા, અને નસકોરાનાં "કરેક્શન" માટે એ રાઈનોપ્લાસ્ટી કરાવે છે. પૂરા ચહેરાને ફેસ-લિફ્ટ કરાવે છે. જો સ્તન વધારે ભરાવદાર હોય તો સપ્રમાણ કરવાનું ઑપરેશન થાય છે, અને સ્તનોને પુષ્ટ અને મસ્ત કરવા હોય તો સેલાઇનના ઇમ્પ્લાન્ટ મુકાવવામાં આવે છે. પેટ અંદર કરવા માટે "ટમી-ટક" થાય છે જે પેટને આકાર આપે છે. સાથળો અને નિતંબોમાં જામી ગયેલી વધારાની ચરબી ખેંચી લેવા માટે લિપોસક્શન કરવામાં આવે છે. સ્ત્રીના શરીરને સેક્સી બનાવવા એક વિરાટ સેક્સ-ઉદ્યોગ પૂરબહારમાં છે. સ્ત્રીનું શરીર બનાવનાર ભગવાનની ભૂલો સુધારવા માટે બ્યુટિશિયનોની પૂરી ફોજ ખડેપગે તૈયાર છે!
પશ્ચિમ પશ્ચિમ છે. પહેલાં શરીર, પછી આત્મા! સૌષ્ઠવથી માર્દવ સુધીના અનગિનત શબ્દો વિષે કોઈ દોષભાવ નથી. સપ્રમાણ, સુરેખ, સેક્સી શરીર એ લપેટેલી સાડીમાં ઢાંકવાની વસ્તુ નથી, શરીરનાં અંગો મજા કરવાનાં સૂત્રો અને કેન્દ્રો છે. પશ્ચિમમાં જાહેરખબરો આવતી રહે છે જેનું લક્ષ્ય પૈસા ખર્ચનારી સ્ત્રીઓ છે : તમારા ચિકનના ઈંડાં જેવા સ્તનોને શાહમૃગનાં ઈંડા જેવાં બનાવો! સેક્સ એ જબરદસ્ત મોટો ઉદ્યોગ છે."
ત્રીની કામેચ્છા ઈલેક્ટ્રિક ઓવન જેવી છે, ધીરે ધીરે ગરમ થાય છે, અત્યંત તપી જાય છે અને ઓવનની જેમ એને ઠંડી થતા વાર લાગે છે. પુરુષની કામેચ્છા આનાથી તદ્દન વિપરીત હોય છે, એ માઈક્રો-વેવ જેવી છે, બટન દબાવો કે સેકંડોમાં ગરમ થઈ જાય છે, અને બંધ થાય એટલે માઈક્રો-વેવની જેમ સેકંડમાં ઠરી જાય છે. અને ઘરમાં ઈલેક્ટ્રિક ઓવન અને માઈક્રોવેવ બંનેની જરૃર પડતી રહે છે! સેક્સ, પ્રેમ અને લગ્ન વિશે સ્ત્રી અને પુરુષ તદ્દન વિરોધી છે. લગ્ન કરવા માટે સ્ત્રીએ સેક્સ આપવી પડે છે, સેક્સ મેળવવા માટે પુરુષે લગ્ન કરવાં પડે છે! સ્ત્રીનો આશય સેક્સ દ્વારા પ્રેમ મેળવવાનો છે, પુરુષનો ઈરાદો પ્રેમ દ્વારા સેક્સ સુધી પહોંચવાનો છે. ગુજરાતી જીવનમાં સેક્સ એ ટયૂબલાઈટ જલાવવાના સ્ટાર્ટર જેવું છે, એ જલે છે, પછી પૂરી ટયૂબલાઈટ ઝળાંઝળાં થઈ જાય છે, જે લગ્નજીવન છે. અને પછી સ્ટાર્ટર હોલવાઈ જાય છે. સેક્સનું સ્ટાર્ટર લગ્ન સુધી લાવીને, સુખી વેજિટેરીઅન અહિંસક ગુજરાતી લગ્નજીવનમાં હોલવાઈ જાય છે. સેક્સનું કામ ગુજરાતી લગ્નજીવનને રોશન બનાવીને ખસી જવાનું છે…
એકલતા ભીંસી નાંખે એવી લાગે છે. બુદ્ધિશાળી સ્ત્રીનો સૌથી મોટો ભય હોય છે – એકલતા! અને એકલતાને સેક્સથી રાહત રહે છે. પણ કેટલાં વર્ષો? સેક્સ તો જીવનભર ચાલતી નથી. સેક્સનો વિટામિનની ગોળીઓની જેમ ઉપયોગ ન થઈ શકે, સેક્સ એ આદત પડી જાય એવી દવા છે, વ્યસન જેવી. પણ એ રાહત આપે છે. એકલતાને સહ્ય બનાવે છે. સેક્સ શબ્દનો અર્થ પણ સ્ત્રી અને પુરુષ બંને માટે જુદો જુદો હોય છે.
બક્ષી બાબુ જેમ મને પણ સ્ત્રીઓ વિશે લખવું ગમે છે.ખાસ કરીને એ સ્ત્રી માટે જેની પાસે અવાજમાં પુરુષને સંપુર્ણપણે વિવશ બનાવી નાખતો એક પંખીણી માદા જેવો નરને આહવાન આપતો આરત રેટાતો ભાવ હોય..એક મુગ્ધા જેવી માસુમિયત હોય અને લાગણીનાં તારને ઝંઝોડી નાખતી કસક હોય અને કોઇ મ લ્લીકા એ તરન્નુમ જેવો લહેજો હોય...જાણે કોઇ ગુલાબને ફૂલને મોગરાનું ચુમવુ અને ગુલાબમાં કાટાંની બદલે સુવાળી કવિતાં ઉગી નીકળે...
આ જ વિષય ઉપર આગલા હપ્તામાં વાતો કરીશુ
=કોર્નર=
નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Articles
No comments:
Post a Comment