Eni Lagni Ane Majja Tantra Gujarati Kavita By Naresh K. Dodia

Eni Lagni Ane Majja Tantra Gujarati Kavita By Naresh K. Dodia
Eni Lagni Ane Majja Tantra Gujarati Kavita By Naresh K. Dodia
एनी लागणी अने मज्जातंत्र
अने एनुं पारावार सौंदर्यझरणुं
अहल्या सरीखा स्थितप्रग्न थइ गयां छे

ए पहेलानी जेम हसती हती ए रीते
हवे जवल्ले हसी शके छे!

पहेला ज्यारे ए हसती त्यारे,
खळखळाट जलनादना ताले वहेती
उछळती ने कुदती नदी जेवी
लावण्यमय ने मनोहर लागती हती.

अने त्यारे

एनी स्फटिक सरीखी दंतपंकित
कोइ अवकाशी ग्रहनी जेम चमकी उठती

जाणे

निर्मळ अने तळीया जोइ शकाइ
एवा स्वच्छ पाणीमा सुर्यकिरणॉ
अठखेलिया खेली रह्या होय..

खबर नही!!
उदासीना चक्करमां एने
जात साथे
शरीर साथे
वान अने शान साथे
एनो पूरानो नातो खोइ बेठी छे!

खबर नही!एने शुं दुःख छे?
राम जाणे!?

अचानक मने याद आव्युं
अत्यारे तो कळयुग चाले छे

काश !
आ कळयूगमा कोइ राम आवे
अने,एनी अहल्यासरीखी
स्थितप्रग्न अवस्थाने स्पर्शीने
पहेलानी जेवी हती एवी बनावीने
समग्र चेतनाने फरी चेतनवंती करी दे

काश!
राम जेवी शकित मारा शब्दोमां होत तो?
मारा शब्दो एनी आंखो वाटे प्रवेसीने एना
समग्र शरीरनां तंत्रने हलबलावी नाखुं अने 
फरीथी बेहतरीन सौंदर्यनो साक्षातकार करी शकुं!

हमणा हमणा तुच्छ कविओ आवी
बहेतरीन अने आलादरजानी कल्पना करे शके छे

ओ कवि!
क्षुद्र अने पामर मनुष्य तुं क्यां 
अने पुरूषोमां उतम कही शकाइ
एवा भगवान रामचंद्रजी क्यां

कवि बोल्यो
छट!!
मने हवे बधी पौराणिक वातो रही रहीने
बकवाश लागे छे!!!
- नरेश के.डॉडीया


એની લાગણી અને મજ્જાતંત્ર
અને એનું પારાવાર સૌંદર્યઝરણું
અહલ્યા સરીખા સ્થિતપ્રગ્ન થઇ ગયાં છે

એ પહેલાની જેમ હસતી હતી એ રીતે
હવે જવલ્લે હસી શકે છે!

પહેલા જ્યારે એ હસતી ત્યારે,
ખળખળાટ જલનાદના તાલે વહેતી
ઉછળતી ને કુદતી નદી જેવી
લાવણ્યમય ને મનોહર લાગતી હતી.

અને ત્યારે

એની સ્ફટિક સરીખી દંતપંકિત
કોઇ અવકાશી ગ્રહની જેમ ચમકી ઉઠતી

જાણે

નિર્મળ અને તળીયા જોઇ શકાઇ
એવા સ્વચ્છ પાણીમા સુર્યકિરણૉ
અઠખેલિયા ખેલી રહ્યા હોય..

ખબર નહી!!
ઉદાસીના ચક્કરમાં એને
જાત સાથે
શરીર સાથે
વાન અને શાન સાથે
એનો પૂરાણૉ નાતો ખોઇ બેઠી છે!

ખબર નહી!એને શું દુઃખ છે?
રામ જાણે!?

અચાનક મને યાદ આવ્યું
અત્યારે તો કળયુગ ચાલે છે

કાશ !
આ કળયૂગમા કોઇ રામ આવે
અને,એની અહલ્યાસરીખી
સ્થિતપ્રગ્ન અવસ્થાને સ્પર્શીને
પહેલાની જેવી હતી એવી બનાવીને
સમગ્ર ચેતનાને ફરી ચેતનવંતી કરી દે

કાશ!
રામ જેવી શકિત મારા શબ્દોમાં હોત તો?
મારા શબ્દો એની આંખો વાટે પ્રવેસીને એના
સમગ્ર શરીરનાં તંત્રને હલબલાવી નાખું અને
ફરીથી બેહતરીન સૌંદર્યનો સાક્ષાતકાર કરી શકું!

હમણા હમણા તુચ્છ કવિઓ આવી
બહેતરીન અને આલાદરજાની કલ્પના કરે શકે છે

ઓ કવિ!
ક્ષુદ્ર અને પામર મનુષ્ય તું ક્યાં
અને પુરૂષોમાં ઉતમ કહી શકાઇ
એવા ભગવાન રામચંદ્રજી ક્યાં ?

કવિ બોલ્યો
છટ!!
મને હવે બધી પૌરાણિક વાતો રહી રહીને
બકવાશ લાગે છે!!!

– નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment