खूश करवां अने खूश राखवां एमां घणॉ फर्क छे - Article By Naresh K. Dodia
![]() |
खूश करवां अने खूश राखवां एमां घणॉ फर्क छे - Article By Naresh K. Dodia |
ખૂશ કરવા અને ખૂશ રાખવામાં ઘણો ફર્ક છે.
------------------------------ -
वही खडा हुं जहा से बस सिर्फ तुं नजर आती है
ये वही जगा है,जहां सब मुसाफिर बनके गुजरते है
-नरेश के.डॉडीया
આ શેર આમ જોઇએ તો ફેસબુકનાં લોકોને મહદઅંશે લાગુ પડે છે..પાંચ વર્ષ પહેલા ફેસબુક જોડાયો ત્યારે અને અત્યારે ઘણા મિત્રો એવા છે...જે શરૂઆતમાં કાયમનાં ધોરણે યોગ્ય પ્રતિભાવ સાથે પોતાની હાજરીનો અહેસાસ આપતા રહેતા હતા..થોડા મહિનાઓ કે એક દોઢ વર્ષમાં એ મિત્રોનાં હાજરી નહીવત જણાવા લાગી...આ વાત ફક્ત મને એકને લાગુ પડતી નથી..મોટા ભાગના ફેસબુક મિત્રોનો આ અનૂભવ થયો હશે..
જ્યારે બે ચાર વ્યકિત એવી છે જેની સાથે શરૂઆતથી લઇને આજ સુધી એ જ તાજગીભર્યો નાતો જળવાયેલો છે..
આ માનવમનની ખાસિયત છે..અને મોટેભાગે લોકોનાં મનમાં હમેશાં એક જિજ્ઞાસા અને કુતુહલ હોય છે..જે વસ્તું રોજ આપણી નજર સામે રહેતી હોય એ વસ્તુથી આપણે ટેવાય જઇએ છીએ....પછી રોજ નજર સામે વસ્તુમાં આપણે કાંઇ નવતર જોઇ શકતા નથી..હવે વસ્તુંની જગ્યાએ બીજુ કોઇ વસ્તું આવે તો એનાં પર આપણું ધ્યાન જ્યાં સુધી એ વસ્તું માટે જિજ્ઞાસા અને કુતુહલ હોય ત્યા સુધી એને જોતા રહીએ છીએ...માનવમનનું પણ બિલકુલ આવુ જ છે.
શરૂ શરૂમાં જોડાયેલા મિત્રો તમારી પોસ્ટ અને ફોટોમાં કાયમી હાજરી પૂરાવે છે..સમય જતાં ધીરે ધીરે એમાં ઘટાડો થતો જાય છે...આજ વસ્તું લગ્નજીવનમાં અને પ્રેમ સંબંધો કે મિત્રતામાં પણ લાગુ પડે છે..ઘણા મિત્રોની પોસ્ટને ધ્યાન પૂર્વક નિહાળશો તો આ વસ્તું ચોક્કસ તમારા ધ્યાનમાં આવશે...કે એક સમયે જે મિત્રની દરેક પોસ્ટમાં જે વ્યકિતની કોમેન્ટરૂપે હાજરી જોવા મળતી હોય એ સમય જેમ જેમ વિતે છે એમ ઓછી થતી જાય છે..અને એક સમય એવો આવે છે..એની હાજરી સાવ નહીવત જોવા મળે છે.
ઘણા લગ્નજીવન વરસો વિત્યા પછી વાસી થતા હોય છે..એનું મુખ્ય કારણ છે.કે આપણે રોજ સામે રહેતી વસ્તુ કે માણસમાં આપણે કાંઇ નવતર ખોજવાનું ભૂલી જઇએ છીએ..સંબંધોમાં પણ આ વાત લાગુ પડે છે..ભલે એક જ વ્યકિત હોય..સમય પ્રમાણે થતા એના બદલાવને સ્વીકારને એમાંથી નવતર શોધવાની વૃતિ હશે તો ચોકક્સ એ વ્યકિત આપણને પણ નવી લાગશે..
પણ ઘણા લોકોને એક વ્યકિતમાં નવતર શોધવાને બદલે વ્યકિત બદલીને કૈક નવતર શોધવાની પ્રક્રિયા જારી રાખે છે.પરિણામે આવી ચંચળમનની અને એટેન્સનપ્રિય વ્યકિત નવતર શોધવા વ્યકિત બદલતા રહે છે..આનું એક કારણ છે.એક વ્યકિત તમારા વિશે બધું જાણે છે અને તમે એનાં વિશે બધું જાણૉ છો.એટલે રોજબરોજનાં સંવાદો ધીરે ધીરે એક પ્રકારની સ્થિરતા આવી જાય છે...કારણકે માણસ એક ને એક વાતથી કંટાળી જાય છે
પણ આ સુવિધા આપણી સૌથી નજીક રહેતી વ્યકિત માટે છે...તમારા જીવનમાં આવતાં તમામ લોકો માટે આવુ કરવું શક્ય નથી..કારણકે બધા સાથેનાં સંબંધો લાગણીભાવે અને દિલથી જોડાયેલા હોતા નથી..
નવતર શોધવુ એટલે સામેની વ્યકિતને તમારી કલા કે મસ્કાબાજી કે ચાપલુસીથી ખૂશ કરવું એ પુરતું નથી...પણ નવતર શોધવું એટલે એની અંદર છુપાયેલી સકારાત્મક કે હકારાત્મક ખૂબીઓને પિછાણીને એને બહાર લઇ આવવી..કારણકે સામે વાળી વ્યકિત સમજદાર અને ચાલાક હશે તો તમારી કલા કે મસ્કાબાજી કે ચાપલુસીથી કાયમને માટે ખૂશ ના રહી શકે.કારણકે એ વ્યકિત સમજે છે કે એને મારી સાથેનો સંબંધ મારા બાહ્ય આવરણનાં આકર્ષણનાં કારણે રાખવામાં રસ છે...ના કે આત્મિયધોરણે અને કાયમીધોરણે નહી.
કારણકે "ખૂશ કરવા" અને "ખૂશ રાખવા" આ બંનેમાં બહું મોટૉ ફર્ક છે..ખૂશ કરવાની પ્રક્રિયા હંગામી છે અને ખૂશ રાખવાની પક્રિયા એ કાયમી ધોરણે છે..માટે આપણા સંસર્ગમાં આવેલી વ્યકિતને ખૂશ કરવાને બદલે હમેશાં ખૂશ રાખવાનો પ્રયત્ન કરવો..જેથી સંબંધોમાં ચડાવ ઉતારની પ્રક્રિયાનો જરા પણ અવકાશ ના રહે.
બસ તો સંબંધ મિત્રતાનો હોય કે કોઇ પણ પ્રકારનો હોય..એમાં શંકાને કોઇ સ્થાન ના હોવું જોઇએ..સંબંધોમાં જેટલો મુકતતાનો અહેસાસ હશે એટલો સંબંધ તમારો ખુલ્લા આકાશ જેવો લાગશે...જ્યાં બંધિયારપણાનો અહેસાસ ના હોવો જોઇએ.
આજ વસ્તું મારી સાથે બની છે..હું આવ્યો ત્યારે મને લખવાનો અનૂભવ નહોતો..અમુક મિત્રોએ મને સતત પ્રોત્સાહન આપીને મારી લેખનકલાને બહાર લાવવાની કોશિશ કરતા રહ્યા અને અને આ મારા મિત્રોના કારણે આજે હું લખી શકુ છુ...
અને આજ કામ હું કરૂ છુ...મારી પાસે જેટલી સમજણ છે.જેટલુ કલા વિશે જાણુ છુ..એ મારા કોઇ મિત્રોને લખવાનુ ગમે છે એની સાથે મારી જાણમાં જેટલી હોય એટલી કલા કે લેખન વિશે સમજણ આપતો રહુ છુ..જ્ઞાન હોય કે કલા એને હમેશાં ફેલાવતાં રહેવુ જોઇએ.કારણકે જ્ઞાન અને કલા માણસોને હમેશાં જોડી રાખવાનું કામ કરે છે..
સંબંધ એક એવું પંખી છે જેને પાંજરૂ પંસદ નથી અને મુકત ઉડાન પણ પંસદ નથી..એને થોડે થોડે સમયે વિસામાંની જરૂરી પડે છે...માટે તમારી હથેળીને એવી રીતે મુકત અને નરમાશ ભરી રાખો કે જ્યારે ઇચ્છા થાય ત્યારે આ પંખી વિસામો મળી શકે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ફરી ઉડાન ભરી શકે..એક વાત યાદ રાખજો...જે આપણા છે એ ઉડીને પાછા આવવાના છે અને જે આપણા નથી...એ ઉડીને પાછા આવવા નથી..
સંબધ મિત્રતાનો હોય કે પ્રેમ સંબધ હોય..એમાં અપડાઉન હમેશાં થતું રહે છે..પણ એનો મતલબ એ નથી કે તમારી મિત્રતા પુરી થઇ ગઇ કે તમારા પ્રેમનો અંત આવી ગયો.
ગમે તેવો સંબધ ગાઢ હોય તો પણ પ્રેમ કે લાગણીનો પ્રવાહ ક્યારેય એકસરખો રહેતો નથી. એ ક્યારેક અપ હોય છે,એ ક્યારેક ડાઉન હોય છે. એ ક્યારેક ઘટ્ટ હોય છે,એ ક્યારેક પાતળો હોય છે. એ ક્યારેક ઉગ્ર હોય છે,એ ક્યારેક શાંત હોય છે. એ ક્યારેક તીવ્ર હોય છે,એ ક્યારેક શુષ્ક હોય છે.
પ્રેમ અને લાગણી ક્યારેય એકસરખી રહેતી નથી, કારણ કે માણસ ક્યારેય એકસરખો હોતો નથી. દરેક પ્રેમી કે મિત્ર એક વખત તો એવું થતું જ હોય છે કે હવે તું મને પહેલાં જેવો પ્રેમ કે મિત્રતા કરતો નથી. જયારે પ્રેમ કે મિત્રતા હદથી વધારે હોય ત્યારે આવુ બનતુ હોય છે તેમા કશું ખોટુ પણ નથી.
પ્રેમ અને ગાઢ દોસ્તી માણસને પઝેસિવ બનાવી દે છે.મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઈએ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું એટલે એણે પણ મને અનહદ પ્રેમ જ કરવો જોઈએ. પ્રેમ અને ગાઢ મિત્રતા ડિમાન્ડિંગ હોય છે. દરેક પ્રેમીને એમ જ થતું હોય છે કે મારા પ્રેમીનું કે મારા ગાઢ મિત્રનું ' સેન્ટર પોઈન્ટ' હું જ હોવી કે હોવો જોઈએ.
સંબધોના પંખીને એટલું જકડી ના રાખો કે એ પાંખ પણ ફફડાવી ના શકે અને એટલું મુકત અને નજરચુક પણ ના રાખો કે એ ઉડી જાય પછી પાછા આવવાની તસ્દી પણ ના લે.
મિત્રતા અને પ્રેમ,માનવિય જીવનનો એક મખમલી વિસામો છે...અને આ વિસામો દરેકને માટે હોતો નથી.
અસ્તુ
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Articles
No comments:
Post a Comment