"बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो -४) Gujarati Article By Naresh K. Dodia

"बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो -४) Gujarati Article By Naresh K. Dodia

"बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो -४)

स्त्रीनो,एटले के मादानो नर तरफना प्रेमने अभिव्यकित  आपे एवुं साहित्य गुजरातीमां घणुं  ओछुं छे.शरम,साहस के क्षमतानो अभाव,सामाजीक परिबळो,प्रेम करवां लायक् पुरुषोनी गुजरातीमां सतत अछत,६६डिग्री’उष्ण्तामान’वाळी गोरी गोरी बर्फिली ठंडी सेक्सहिन स्त्रीओ….एक अथवा वधारे कारणॉ हशे
( चन्द्रकान्त बक्षी )

લેખન અને સર્જન એક એવી પ્રક્રિયા છે જે તમારા અસ્તિત્વનું ભાન ભૂલાવી દે છે…તમારી સામે એક નવું વિશ્વ ખૂલી જાય છે..આપણે એક લાગે કે લખવુ એક સામાન્ય પ્રક્રિયા છે.પણ જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે સામાન્ય લાગતી આ પ્રક્રિયા લખનારને અસામાન્ય બનાવી દે છે.કાગળ પર નૃત્ય કરતા શબ્દોની સામે કદાચ મેનકા કે રંભા જેવી નૃત્યાંગના નાચતી હોય તો પણ રંભા કે મેનકાના નૃત્ય કરતાં આ નાચતા શબ્દો લખનારને વધું મંત્રમુગ્ધ કરે છે.

સેક્સ અથવા કામનો સંબધ સર્જન સાથે છે.કલા સાહિત્ય અને સર્જકતા સાથે જોડાયેલા સહું કોઇને સર્જનની ક્ષણૉ દરમ્યાન જે આંનદની અનૂભૂતિ થાય છે તેને “બ્રહ્માનંદ સહોદર” કહેવામાં આવે છે.આમ સંભોગાનંદની તોલે આવે એવા સર્જનના આંનદ પામનારાઓ માટે કામ ગૌણ બની જાય એવો સમયગાળૉ આવે છે..

ઉપરની આ હક્કીત દરેક કલાકારને લાગુ પડે છે,પછી તે લેખક હોય,કવિ હોય,ચિત્રકાર હોય ,નટ હોય કે અન્ય કલાનો જાણનાર હોય.

ગુજરાતી સાહિત્યકારોમાં બક્ષીસાહેબને જેટલો પ્રેમ તેમના વાંચકોએ કર્યો છે એટલા જ પ્રમાણમાં એને અમુક લોકોનો ધીક્કાર મળ્યો છે.

બક્ષી સાહેબ લખે છે કે," ગુજરાતી ભાષાના ઘણાખરા નવલકથાકારો પાત્રને ત્રીજા પ્રકરણમાં બીજી સ્ત્રી સાથે દેહસંબધ બાંધવા માટે ઉશ્કેરી મૂકે છે,મતલબ કે પોતે ઉશ્કેરાય જાય છે.કારણકે એમનો સ્ત્રીની સેકસ પ્રકૃતિનો અનુભવ પાણીની બાલટીમાં કુદતા બુચ જેવો છે.જે બુચ ભીંજાય શકતો નથી,ડુબી શકતો નથી,તરબતર થઇ શકતો નથી…એ જલની પ્રવાહિતા શું સમજવાનો છે.."

બક્ષીસાહેબના એક સમયનાં ખાસ મિત્ર મધુરાય બક્ષી વિશે શું લખે છે જરા એક નજર-”મેં જે કર્યું છે તે બક્ષીએ ફોલો કર્યુ છે.તો બક્ષીએ નાટક કેમ ન લખ્યાં?નાટકમાં એકથી વધું પાત્રો જોઇએ,જ્યારે બક્ષી પાસે એક જ પાત્ર છે.એકનું એક પાત્ર વિધ વિધ નામે ઉભરે છે.આયનામાં એક જ પ્રકારની ચડભડ ભાષામાં ડાયલોગ મારે અને ના-ટ-ક બને નહીં.જનરલી નાટકમાં સહેજસાજ થાય.વાતાવરણ ગરમ થાય અને ક્લાયમેક્સ આવે.ધેટ ઇઝ નાટક.

બક્ષીમાં ત્રાડૉથી,ગાળૉથી,તુંતુંમેંમેંની ક્લાયમેક્સથી શરૂઆત થાય અને જે રોદ્ર્રૂપ ત્રણ અંક સુધી કન્ટિન્યુ રહે.બક્ષીની નોવેલોમાં અકારણ વેરાયેલી ચિંતનકણિકાઓ નાટકમાં વિલ ડુ થાય નહીં.એટલે એમાં સફળ ન થયાં.બક્ષી હવે ગુણાકાર અને ભાગાકાર કરે છે-નર્મદ કરતાં મારા વાંચકો વધું છે-મારા અઢી કરોડ વાંચકો છે.

હશે ! નર્મદ,ને દલપત, ને મુનશી,ને દેસાઇ,ને મેઘાણીના કમ્બાઇન્ડ વાંચકો કરતા પણ બક્ષીના વાંચકો વધું હશે.વસતિ વધી છે.એકચ્યુલી વાંચકો વધ્યા છે તેની વજહ બક્ષીના સર્જન કરતા ગુજરારીઓનું પ્રજ્જન છે.બક્ષીને તે કોણ કહે ?

મધુરાય આગળ લખે છે-મુંબઇ આવ્યા બાદ પત્રકારત્વમાં પૈસાનું લોહી ચાખ્યા બાદ બક્ષી બહુ વકર્યા છે.કલાકાર ન રહ્યાં.વાર્તાઓ લખવાની બંધ કરી.નવલકથાઓમાં ઇતિહાસ ભૂગોળનાં ઉતારા કર્યાં.કોલમોની ખેતી કરી.

કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે જે માણસ પોતાના પ્રેમમાં હોય તેને કોઈ હરીફ નથી હોતો. બક્ષીબાબુ ઇન્દ્રની આંખ ફોડે કે ન ફોડે પણ એમણે આ ડાહ્યોક્તિ ખોટી પાડી છે. બક્ષીબાબુની ફેન ક્લબો ડૂંગરે ડૂંગરે છે, બક્ષીની વિરુદ્ધ કાંઈ પણ બયાન આપનારના મસ્તકે માછલાં ધોવાય છે. બક્ષીના સ્વર્ગવાસ પછી વર્ષો વીત્યા છતાં જાણે હજી એક ધાક વરતાય છે બક્ષી મિયાંની. દરઅસલ બક્ષીની જટિલતા એ વાતમાં છે કે તેમને ચાહનારા પણ તેમને દિલ ફાડીને ધિક્કારે છે અને ધિક્કારનારા તેમને દિલ ફાડીને ચાહે છે. ગગનવાલાએ એ વાત સ્વીકારી લીધી છે કે આજીવન તે બક્ષીના જૂનિયર દોસ્ત તરીકે ઓળખાશે. એક રીતે જુઓ તો એ બેડ થિંગ કહેવાય; પણ બીજી રીતે તે ગુડ થિંગ પણ છે કેમ કે બક્ષીની પાસે ઊભો એટલે ગગનવાલા હો કે મગનલાલા કે એક્સવાયઝાલા હો, માણસ તરીકે તમે બક્ષીથી બેટર જ લાગો! જય સોનાગાછિ!

બક્ષી સાહેબ માટે કાઝલ ઓઝા લખે છે,"મારા માટે ચંદ્રકાન્ત બક્ષી એક એવું નામ હતું જેને મેં મુગ્ધભાવે વાંચેલા, પછી મળેલી અને ધીમે ધીમે એમના માટે અપાર સ્નેહ અને આદર મારા મનમાં વધતાં જ રહેલાં. લોકો કહેતાં કે એમને બહુ ઇગો હતો, જીભના કડવા હતા વગેરે વગેરે... પરંતુ મને એ હંમેશાં એક આખાબોલા અને પ્રામાણિક માણસ લાગ્યા છે. એમનામાં 'અહમ્’થી વધારે 'સ્વ’ હતું. એમણે લખ્યું છે, 'આપણને ન જીવી શકવાની સ્વતંત્રતા નથી. બધાંને એકલા એકલા પણ જીવી લેવું પડે છે.’ ડિસેમ્બર-૨૦૦પમાં પુસ્તકમેળામાં અમે સાથે હતાં. એમના નામનો આખો રેક જોઇને આંખોમાં અહોભાવ અને આછી ઈર્ષ્યા સાથે મેં એમને કહેલું, 'મારે પણ આવો રેક જોઇએ છે.’ ત્યારે એમણે ખભો થાબડેલો, 'થશે...’ એમણે ડિસેમ્બર-૨૦૦પમાં કહેલું આ 'એને માટે તારે મારા જેટલું જીવવું પડશે.’

શરાબના પહેલા પેગ પછી જે બેખુદી આવવાની શરૂ થાય એને બક્ષી 'સુરુર’ કહેતા. આ 'સુરુર’ એમની સફળતાનો નહોતો, જાત સાથે સતત ચાલ્યા કરતા સંવાદનો હશે એવું આપણને ધીરે ધીરે સમજાય. ભાષા સાથે હેલ્ધી અને વર્બલ ફ્લર્ટ કઇ રીતે થઇ શકે એ એમણે એમની પોતાની જ નહીં, એ પછીની ત્રણ ગુજરાતી પેઢીઓને બતાવ્યું. એમની કલમ તેજાબી હતી એ સાચું, પરંતુ એમના જેટલો અભ્યાસુ કોલમિસ્ટ અને વોરેશિયસ વાચક ગુજરાતી ભાષાએ ભાગ્યે જ જોયો છે. માણસના માણસ સાથેના સંબંધો વિશે એમણે જે લખ્યું છે એમાં ભરપૂર જીવ્યાનું પ્રમાણપત્ર સતત મળતું રહે છે. પચાસ વટાવી ગયેલો હીરો ઘર છોડીને પ્રિયતમા સાથે રહેવા જાય કે રૂપ શાહ એની દીકરી નિકી સાથે ડિર્વોસી પત્નીને મળવા અમેરિકા જાય કે પછી ઝિન્દાનીમાં લખાયેલી કથા જેવી ઇતિહાસને ઘસાઇને પસાર થતી રોમેન્ટિક નવલકથા આપણને બક્ષીએ આપી છે બ-લ-ય જોડીને 'બ્લ્યુ’ લખતાં એમણે ગુજરાતી ભાષાને શીખવ્યું.   

જ્યારે બક્ષીસાહેબે મધુરાય માટે શું લખ્યુ છે તેના ઉપર જરા એક નજર-ગુજરાતી લેખકોને નાટક લખતા આવડતા નથી…પણ એવું નથી.આપણી પાસે “ખારા સમદરિયામાં મીઠી એક વીરડી”જેવા મધુરાય છે,અને એમાંથી ડૉલો ભરી ભરીને ઠાલવાતી આઇ.એન.ટી છે.વીરડી અને પનિહારી બંન્ને..એક બીજાની પ્યાસ સમજે છે.

એક લેખક તરીકે પોતાનાં જુના દોસ્તને નવાઝવામાં બક્ષી સાહેબ પોતાની વિનમ્રતાં ચુક્યા નથી..બક્ષી સાહેબે જીવનમાં પોતાનાં દોસ્તોને એક ખાસ સ્થાન આપ્યુ છે અને એની બદસલુકી સુધ્ધા માફ કરતાં આવ્યા છે.

વિનોદ ભટ્ટ બક્ષીસાહેબ વિશે લખે છે-બક્ષીસાહેબે પોતાના પ્રવચનમાં જે ભાષા વાપરી એ અમદાવાદના હેર કટિંગ સલૂનના કારીગરો વાપરે છે.આપણે દુકાનમાં પ્રવેશીયે છીએ ત્યારે કોઇ ગ્રાહકની દાઢી પર બ્રશ ફેરવતો વાળંદ કહેતો હોય કે,સાહેબ,બે મિનિટમાં આમને પતાવ્યા પછી તમને બેસાડી દંઉ છું.
બક્ષીસાહેબને ભલે તેમના વિરોધીઓ એક સુરમાં કાગારોળ કરે પણ બક્ષી એટલે બક્ષી…!!

બક્ષીસાહેબના અમુક લખાણો હજુ પણ નજર સામે તરવરે છે -
“ક્દાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે…નહીં તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. વર્ષે વર્ષે વસંત આવે છે, જૂનાં પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી કૂંપળો – નવાં ફૂલો આવે છે, નવી ખુશબૂ આવે છે. નદીમાં નવું પાણી આવે છે…આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઈ જાય છે, બીજે વર્ષે આવવા માટે. દર વર્ષે વસંત આવશે – સૃષ્ટિના અંત સુધી –. . . . .માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો?

સાચો લેખક માત્ર બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ; અને આ વિચાર કવિ ડબ્લ્યુ એચ. ઓડેનનો હતો. સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ એમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠિન છે. મૃત્યુ વિશે ઈમાનદારીથી જ લખી શકાય. જેણે પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે, જેણે નિશ્ચેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન, કોઈ થર્રાહટ અનુભવી નથી એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક, વધેલા નખ. ધ્રૂજતા હાથથી બંધ કરેલાં બંને આંખોનાં પોપચાં. અને એ જીભને સ્પર્શ કરતી વખતે ધ્રુજારી છૂટી જાય છે. એ જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે. હવે ફક્ત એક ફોટો રહી ગયો છે, સ્ટ્રોબેરી રંગની સાડી, સોનેરી કિનાર અને ફોટામાં થીજી ગયેલું અર્ધસ્મિત. અને ફોટામાંથી વિષાદી આંખો જોઈ રહી છે; એ આંખો, જે ફોટામાં હવે ક્યારેય બંધ થવાની નથી. નિષ્પલક આંખો. એક આંખ એક અંધને દ્રષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે, અને એ બે ચહેરાઓ કોના છે એ ક્યારેય કહેવામાં આવતું નથી. પણ નિકટજન માટે હવે આ બે અપલક, જોઈ રહેલી આંખો ફોટામાં બિડાવાની નથી. અને નિકટજનની આંખો નમ થઈ જાય છે. છલકાવું, પણ ન રડવું. અને નિકટજનના નિકટજનોના ભાવુક આગ્રહથી ઈસીજી કઢાવી લેવો પડે છે. પેલ્પીટેશન છે. હાર્ટ-બીટ્સ જરા ઈરરેગ્યુલર છે. ડૉક્ટર એની ડૉક્ટરી ભાષામાં સાંત્વન આપે છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. ટેઈક ઈટ ઈઝી… “

બક્ષીસાહેબની કલમની ધાર વડે ગુજરાતી સાહિત્યના ખેરખાઓને ઉજરડાનો અનુભવ છે.-“ગુજરાતી ભાષામાં તમે કંઇ પણ ના લખીને મહાન સાહિત્યકાર થઇ શકો છો.બે અંક પ્રગટ કરીને યુગ કવિ થઇ શકો છો.સસ્તી પેપર બેંકોમાંથી પ્લોટ ચોરીને,અને પકડાય જાવ તો,નવલકથા લખીને,ગમે તે પ્લમ્બર પોતાને “બેસ્ટસેલર” નવલકથાકાર કહેડાવવી શકે છે.પણ ખરેખર પ્રથમકક્ષ થવા માટે બુધ્ધિ જોઇએ,અને મૌલિક વિચારશકિત જોઇએ છે.લેખકની ઇમાનદારી જોઇએ છે અને કાળી મજૂરી જોઇએ છે અને લોહી સુકાય એટલું ધૈર્ય જોઇએ છે.આખી જિંદગી અન્યાય સામે ટક્કર લેવાની જિદ જોઇએ છે.અને વિપૂલ સર્જન અને વિરાટ સર્ગશકિત જોઇએ છે.ગુજરાતી લેખકો પાસે મુનશીથી મડિયા સુધીની જબરદસ્ત પરંપરા છે.

બક્ષીનો મિજાજ એક અલગ હતો.તે મિજાજ બીજા લેખકોમાં નજરે ચડતો નથી..અમુક અવતરણમાં બક્ષીશાહી છાપ તુરત જ વર્તાય આવે છે -

જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે... 

ઈતિહાસમાં દરેક સમાજમાં સ્ત્રી રાજનીતિની સાથે જ રહી છે, અને એણે રૂપ અને સેક્સને અસ્ત્ર અને શસ્ત્ર તરીકે વાપર્યાં છે. જે હાથથી ફેંકવામાં આવે છે એ હથિયાર અસ્ત્ર છે (રૂપ) અને જે પોતાની પાસે રાખીને વાપરવામાં આવે છે એ હથિયાર શસ્ત્ર (સેક્સ) છે.

જે લેખકને છાશ પચતી નથી અને રોજ રાત્રે ત્રણ જાતના જુલાબો લેવા પડે છે એ સલાહ આપે છે તગડા કેમ થવું? અને વર્ષમાં સાડા સાત મહિના શરદીથી છીંકાછીંક કરતાં વાચકો આ લેખકોને વાંચે છે, અને આપણને કહી પણ જાય છે કે શિયાળામાં એરંડિયાનું સેવન ગુણકારી છે.

સ્ત્રીના નિતંબો જોઈને આધ્યાત્મિક આનંદ થવો મારે માટે શક્ય નથી, શરાબનો ગ્લાસ જોઈને બ્રહ્મની કલ્પના કરવી મારે માટે શક્ય નથી. આજે પણ શુદ્ધ ગાંધીવાદી સફેદ એનેમિક મહિલા સાથે વાત કરવા કરતાં હું કામવાળી સાથે વાત કરવી વધારે પસંદ કરું છું....



=કોર્નર=
જમાવટવાળી છોકરીઓ મને ગમતી નથી.મને હમેશાં નાદાન છોકરીઓ વધારે ગમે છે.નાદાન એટલે અલ્લડ.ઉર્દુમાં તેને ‘અલ્હડ’કહે છે.(ચંદ્રકાંત બક્ષી)
--નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment